સિહોર નગરપાલિકા ની કામગીરી પ્રત્યે ની બેદરકારીને કારણે રામનાથ રોડ પર આવેલી આંગણવાડી પાસે ના ભરાયેલા ઉકરડાના લીધે અહીં આવતા બાળકોને તેમજ આસપાસ ના રહીશોને ના છૂટકે દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે જેના લીધે મચ્છર જન્ય રોગચાળો ફાટી નીકળવાની શકયતા ઓ સેવાઇ રહી છે. આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર આ વોર્ડ નં-૭ ના નગરસેવકો તેમજ સેનિટેશન વિભાગ ને ફરિયાદ કરવા છતાં છેલ્લા પંદર દિવસ થી ખડકાયેલા ગંદકીના ગંજથી આ વિસ્તાર ની જનતા ત્રાહિમામ થઈ ઉઠી છે. બીજી બાજુ નગરપાલિકા ની વારંવાર તુટતી પાઇપલાઇનનું આખો દિવસ વહેતુ પાણી પણ આ ગંદકીમાં વધારો કરી રહી છે . આ બાબતે પાલિકાના આ જ વિસ્તારમાંથી ચૂંટાયેલા પ્રમુખશ્રી ખાસ ધ્યાન આપી આ વિસ્તાર ની જનતા આ કાયમી સમસ્યાઓ માંથી મુક્તિ અપાવે તેવી લોકોમાં માંગ ઉઠી છે
Sunday, March 3, 2019
સિહોર ના રામનાથ રોડ પર ગંદકીના લીધે આંગણવાડી ના ભૂલકાઓનું આરોગ્ય જોખમમાં
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment