Breaking

Sunday, March 3, 2019

સિહોર ના વોર્ડ નં -૮ માં રોડના કામમાં ગેરરીતિ ની ફરિયાદ


હમેશા વિવાદ માં રહેવા ટેવાયેલી સિહોર નગરપાલિકા આજે પણ વિવાદમાં આવી છે. સિહોર નગરપાલિકા ચૂંટણી ને એક વરસ વીત્યું ત્યારે એકપણ કામ ન કર્યા અને ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને લાભ થાય તે માટે વિકાસના નામે મત મેળવવા માટે છેક એક વરસ બાદ વોર્ડ નં-૮ ના કંસારા બજારમાં ગોપાલ લાલ ની હવેલી વાળી શેરીમાં આજરોજ જૂનો રોડ  સારો હોવા છતાં પણ મતદારો ને સાચવવા રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ રોડ નવીનીકરણ માં નિયમ મુજબ જૂનો રોડ તોડીને ન કરવામાં આવતા આ બાબત ચર્ચાનો વિષય બન્યો છે. પાલિકા તંત્રના જવાબદાર શાસકો તેમજ લાગતા વળગતા અધિકારીઓ ની કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતના કારણે આવા તકલાદી કામો થઈ રહ્યા હોવાથી આ વિસ્તારના રહીશો રોષે ભરાયા છે.

No comments:

Post a Comment